Saturday, December 29, 2007

ગુજારે જે શિરે ...

ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સ્હેજે;
ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે.


દુનિયાની જુઠી વાણી, વિશે જો દુ:ખ વાસે છે;
જરાયે અંતરે આનંદ, ના ઓછો થવા દેજે.


કચેરી માંહિ કાજીનો, નથી હિસાબ કોડીનો;
જગત કાજી બનીને તું, વહોરી ના પીડા લેજે.


જગતના કાચના યંત્રે, ખરી વસ્તુ નહીં ભાસ;
ન સારા કે નઠારાની, જરાએ સંગતે રહેજે.


રહેજે શાંતિ સંતોષે, સદાયે નિર્મળે ચિત્તે;
દિલે જે દુ:ખ કે આનંદ, કોઇને નહીં કહેજે.


વસે છે ક્રોધ વેરી, ચિત્તમાં તેને તજી દેજે;
ધડી જાએ ભલાઇની, મહાલક્ષ્મી ગણી લેજે.


રહે ઉન્મત્ત સ્વાનંદે, ખરૂં એ સુખ માની લે;
પિયે તો શ્રી પ્રભુના, પ્રેમનો પ્યાલો ભરી પીજે.


કટુ વાણી સુણે જો કોઇની, વાણી મીઠી કહેજે;
પરાઇ મૂર્ખતા કાજે, મુખે ના ઝેર તું લેજે.


અરે પ્રારબ્ધ તો ઘેલું, રહે છે દૂર માગે તો;
ન માગે દોડતું આવે, ન વિશ્વાસે કદી રહેજે.


અહો શું પ્રેમમાં રાચે, નહીં ત્યાં સત્ય પામે તું !
અરે તું બેવફાઇથી ચડે નિંદા તણે નેજે.


લહે છે સત્ય જે, સંસાર તેનાથી પરો રહેજે;
અરે એ કીમિયાની જો મઝા છે, તે પછી કહેજે.


વફાઇ તો નથી, આખી દુનિયામાં જરા દીઠી;
વફાદારી બતાવા ત્યાં, નહીં કોઇ પળે જાજે.


રહી નિર્મોહિ શાંતિથી, રહે એ સુખ મોટું છે;
જગત બાજીગરીના તું, બધાં છલબલ જવા દેજે.


પ્રભુના નામનાં પુષ્પો, પરોવી કાવ્યમાળા તું;
પ્રભુની પ્યારી ગ્રીવામાં, પહેરાવી પ્રિતે દેજે.


કવિ રાજા થયો શી છે, પછી પીડા તને કાંઇ?
નિજાનંદે હંમેશા બાલ, મસ્તીમાં મઝા લેજે.

- બાલશંકર કંથારિયા

Tuesday, December 25, 2007

ઘણા સમય પછી .....

ઘણા સમય પછી ત્યાં જવાનું મન થયું,
એ રસ્તા, એ ગલી, ઘરને મળવાનું થયું.

હસતા, રમતા આપણે જ્યાં હમેશાં,
એ આંગણા ને મળવાનું મન થયું.

વિતાવ્યું જ્યાં બાળપણ સાથે આપણે,
એ બાળપણ ને ફરી માણવાનું મન થયું.

જે હિંચકે ઝૂલતાં સદા આપણે,
ત્યાં ફરી ઝૂલવાનું જાણે મન થયું.

એઘર ઘરના ખૂણાઓ સાથે મને,
જાણે વાતો કરવાનું મન થયું.

પાછા વળવાનો સમય થઈ ગયો પણ ,
મને ત્યાંજ રોકાઈ જવાનું મન થયું.

જાણે સાદ દઈ બોલાવતું બધું મને,
પાછા વળી જવાનું જાણે મન થયું.

એ મીઠી યાદોને હમેશાં માટે મને,
દિલમાં કંડારી લેવાનું મન થયું .

Wednesday, December 19, 2007

દીકરી...

વિધાતાનું તું છે સુંદર સર્જન,
ભર્યો છે રંગ લાગણી કેરો તારામાં.

દીકરી બનાવી મોકલી જગમાં તને,
લક્ષ્મી કેરું ઉપનામ આપ્યું તને.

ભાર નથી કોઈ ઘરનો તું,
તું તો છે ઘર નું અમૂલ્ય રત્ન.

કેહવાય જે દાનમાં દાન મોટું,
કન્યાદાન કરવાનો અવસર આપ્યો.

લીધો જન્મ તે તો એક ઘરમાં પણ,
દિપાવશે તું તો બે ઘરના દીપ.

Monday, December 17, 2007

મંગલ મંદિર ખોલો....

મંગલ મંદિર ખોલો,
દયામય ! મંગલ મંદિર ખોલો !

જીવનવન અતિ વેગે વટાવ્યું,
દ્વાર ઊભો શિશુ ભોળો;
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઊરમાં લ્યો, લ્યો; ... દયામય !

નામ મધુર તમ રટ્યો નિરંતર,
શિશુ સહ પ્રેમે બોલો;
દિવ્ય તૃષાતુર આવ્યો બાળક,
પ્રેમ અમીરસ ઢોળો ... દયામય !

પ્રાર્થના..

Thursday, December 13, 2007

અસ્તિત્વ....

મારા જ અસ્તિત્વને હું શોધું છું,
તારા દિલમાં મારું સ્થાન શોધું છું.

આંખોમાં વસાવ્યા છે તમને ,
તે સર્વત્ર તમને જ શોધું છું.

લીધું છે સ્થાન તમે દિલમાં આમારા,
હર દિલ ની ધડકનમાં તમને શોધું છું.

ઈચ્છું છું ખુશ રહો સદા તમે,
તમારી ખુશીંમાં મારી ખુશી શોધું છું.

દુઃખ જો હોય કોઈ તમને તો,
તમારા દુઃખમાં ભાગીદાર થવાનું સદભાગ્ય હું શોધું છું.

Wednesday, December 12, 2007

ૐ તત્સત્ ....

ૐ તત્સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું;

સિદ્ધ બુદ્ધ તું, સ્કન્દ વિનાયક સવિતા પાવક તું,

બ્રહ્મ મજદ તું, યહ્વ શક્તિ તું, ઇસુ પિતા પ્રભુ તું ... ૐ તત્સત્


રુદ્ર વિષ્ણુ તું, રામ-કૃષ્ણ તું, રહીમ તાઓ તું,

વાસુદેવ ગો-વિશ્વરૂપ તું, ચિદાનન્દ હરિ તું;

અદ્વિતીય તું, અકાલ નિર્ભય આત્મ-લિંગ શિવ તું ... ૐ તત્સત્



ૐ તત્સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું;

સિદ્ધ બુદ્ધ તું, સ્કન્દ વિનાયક સવિતા પાવક તું ... ૐ તત્સત્


પ્રાર્થના.

Tuesday, December 11, 2007

તારી યાદ....

નયનો છલકાય જાયછે જ્યારે,

આવે છે યાદ તારી.

મનમાં તોફાન ઉમટે છે જ્યારે,

આવે છે યાદ તારી.

શબ્દો હોટ્ટોથી ફરી જાય છે જ્યારે,

આવે છે યાદ તારી.

પળપળ વિતે છે મારી વેદનામાં જ્યારે,

આવે છે યાદ તારી.

ભુલવાની કોશિશતો કરી છંતા રોજ,

આવે છે યાદ તારી ..

Sunday, December 9, 2007

પ્રભુજી ! તુમ ચંદન હમ પાની...

પ્રભુજી ! તુમ ચંદન હમ પાની,
જાકી અંગ અંગ બાસ સમાની ... પ્રભુજી !

પ્રભુજી, તુમ ઘન બન હમ મોરા,
જૈસે ચિતવત ચંદ્ર ચકોરા ... પ્રભુજી !

પ્રભુજી, તુમ દીપક હમ બાતી,
જાકી જોતિ બરૈ દિન રાતી ... પ્રભુજી !

પ્રભુજ, તુમ મોતી હમ ધાગા,
જૈસે સોનહિં મિલત સુહાગા ... પ્રભુજી !

પ્રભુજી, તુમ સ્વામી હમ દાસા,
ઐસી ભક્તિ કરે રૈદાસા ... પ્રભુજી !

પ્રાર્થના.

Friday, December 7, 2007

ઘર,પરિવાર..

આપણે ઘર કોને કહીશું? ઘર એટલે રેતી,સિમેન્ટ અને ઈંટથી બનેલું મકાન? ના ઘર એક પરિવારથી ,પરિવારના સભ્યોથી બને છે. રેતી, સિમેન્ટ, ઈંટથી બનેલું એક મકાન હોય પણ એને ઘર પરિવારના સભ્યો બનાવે છે.

કેહવાય છે ને ધરતીનો છેડો એટલે ઘર. સાચું જ છે ને આપણે દુનિયામાં ગમે ત્યાં જઈએ પણ ઘર જેવી સુખ-શાંતિ બીજે ક્યાંય નથી મળતી ખરું ને , ભલે ઘર નાનું હોય કે મોટું પણ એ ઘર આપણું છે અને એમાં આપણાં સ્વજનો રહે છે, એ મહત્વનું છે . આપણે જોઈએ તો પહેલાંનાં જમાનામાં પરિવારનાં બધા સભ્યો એકસાથે એક જ હસીખુશી ઘરમાં રેહતા.પરિવારના બધા સભ્યો એકબીજા સાથે જોડાયેલા રેહતા તેથી પરિવારના એક સભ્ય પર આવતી તકલીફ, કે દુઃખ એ પરિવારના બધાં સભ્યોની તકલીફ કે દુઃખ બની રેહતું, એટલે તકલીફ , કે દુઃખ ક્યાંદૂર થઈ જતા એની ખબર પણ નહી પડતી.પરિવારનાબધાં સભ્યો સાથે રેહતા બાળકો પણ ક્યાંય મોટા થઈ જતા ખબર પણ નહીં પડતી, અને બાળકોને પણ દાદા-દાદી , કાકા-કાકી બધા સાથે રેહવાની મઝા આવતી. ધીરેધીરે આ પરંપરા ભૂલાતી જાય છે, હવે આપણે જોઈએ તો વિભક્ત કુટુંબોની સંખ્યા વધતી જાય છે.કોઈ પરિવાર કામકાજના લીધેતો કોઈ પરિવારમાં સભ્યોને એકબીજા સાથે મનમેળ નહી હોવાથી અલગ રહે છે, પોતાનું અલગ ઘર, અલગ દુનિયા વસાવી લે છે.આપણે જોઈએ તો અમુક ઘરોમાં તો મા-બાપ અને છોકરા-વહુ આજુબાજુ કે ઉપર નીચે અલગ અલગ રહેતાં હોય છે, કારણ કોઈને કોઈની સાથે મનમેળ નથી બેસતો અને પરિવારો તુટતા જાય છે.ખબર નહી પણ આવું આજકાલ વધું બનતું થઈ ગયું છે, કેમ કોઈ કોઈને નથી સમજી શકતું . જ્યારે ધડપણમાં મા-બાપને સ્નેહ, હુંફ , કાળજીની જરૂર હોય ત્યારે જ એમને એકલા મૂકીને આમ જતા કોઈ કેમ વિચારતું નથી જે મા-બાપે કેટલી આશા, અરમાનો સાથે પરિવાર જોડ્યો હોઈ છે , અને આ પરિવારને તૂટતાં જોઈ એમનો કેટલો જીવ બળતો હશે, કેમ કોઈ આ બધું નથી જોતું . આ બધામાં સૌથી ખરાબ દશા નાનાં બાળકોની થાય છે, આ બાળકો બધાના પ્રેમથી વંચિત રહી જાય છે , એવું નથીકે એકલા રેહતા મા-બાપ બાળકોને સારા સંસ્કાર નથી આપી શકતા પણ જે હુંફ , પ્રેમ , સંસ્કાર, માર્ગદર્શન વડિલો પાસેથી મળી શકે છે તેનાથી તો આ બાળકો વચિંત જ રહી જવાના ને તેમાં જે જગ્યાએ મા-બાપ બંને નોકરીયાત હોય ત્યાં તો બાળકોનું ધ્યાન રાખવા વાળું પણ કોઈ હોતું નથી. જયારે એમને સૌથી વધારે પ્રેમ ,કાળજીની જરૂર હોય છે ત્યારે જ એમની પાસે કોઈ નથી હોતું આ બધી વાતો વિચાર કરવા જેવી છે કે નહી.

આમ પરિવારને એક રખવાની જવાબદારી પરિવારના બધા સભ્યો ની છે.મે ક્યાંક વાંચ્યુ હતું જે આ પ્રમાણે છે..." જેમ શરીરને સ્વસ્થ રખવાદરેક અંગ ઉપાંગોને એકબીજાના સહકારમાંરહેવું પડે છે તેમ પરિવારને , ઘરને એક રાખવા પરિવારના દરેક સભ્યોએ સહકારવૃત્તિ અને સમાધાનવૃત્તિ કેળવવી જ પડે. બીજાપર આવી જતી તલીફોમાં સહકારવૃત્તિ અને પોતાના પર આવી જતી સમાધાનવૃત્તિ તકલીફોમાં ! જ્યાં આ બે વ્રુતિ નથી ત્યાં કદાચ એમના (નિવાસસ્થાન ભલે ધર કેહવાતું હશે પણ ઈંટ ચૂનાનાં મકાન સિવાય બીજું કોઈ નામ આપી શકાય નહી.

Monday, December 3, 2007

વાતો વાતોમાં બધું ખોયું..

વાતો વાતોમાં બધું ખોયું આ જીવન મોઘું.

પગ આપ્યા છે તને હરિમંદિર જવા.
ફળિયા ફરવામાં બધું ખોયું

હાથ આપ્યા છે તને દાન પુણ્ય કરવા.
સંગ્રહ કરવામાં બધું ખોયું.

કાન આપ્યા છે તને હરિભજન સુણવા.
બિન જરૂરી સુણી બધું ખોયું

આંખ આપી છે તને હરિદર્શન કરવા.
સિનેમાં જોવામાં ભધું ખોયું.

મોઢું આપ્યું છે તને હરિગુણ ગાવા.
પારકી પંચાયતમાં બધું ખોયું.

મોંઘો માનવદેહ મળ્યો છે ભવસાગર તરવા.
કુથલી કરવાંમાં બધું ખોયું.

પૈસા મળ્યા છે તને ધર્માદા કરવા.
બેંકો માં વ્યાજ માટે મુકી બધું ખોયું.

આ જીવન મોઘું ,વાતો વાતો માં બધું ખોયું.

પુષ્ટિ સાર માંથી..

Wednesday, November 28, 2007

જિંદગીભર

અમે હસ્યા છીએ અને હસતાં જ રહીશું જિંદગીભર,
વહેતાં અશ્રુનો સમુદ્ર આંખોમાં સમાવીશું જિંદગીભર.

દુનીયાનાં ગમમાં ખોવાઈ જાઓ તમે જો ક્યાંક,
શોધજો અમને ખુશીમાં ત્યાં અમે મળીશું જિંદગીભર .

નથી બન્યા અમે કારણ આંખના આસુંનું કોઈના,
મુસ્કુરાતા ચહેરામાં જ અમે મલકાઈશું જિંદગીભર.

મળ્યા છે દર્દો જીવનમાર્ગમાં હર એક મોડ પર,
હસતાં હસતાં એને ઝેલતાં રહીશું જિંદગીભર.

માત્ર બે જ દિનની જિંદગાની છે, ડૂબી જશે મિત્રો,
છે સાચી મૈત્રી મોતથી, એને વળગાડીશું જિંદગીભર .

નીરજ

સંબંધ.

મને હમેશાં સંબંધ વિશે લખવાનું મન થતું હતું , કારણકે આપણે બધા એકબીજા સાથે કોઈ ને કોઈ સંબધથી જોડાયેલા છીએ. અને કોઈ પણ સંબંધ વગર તો જીવી જ નહીં શકાય.દરેક જગ્યા એ આપણે એક અલગ સંબધ સાથે જીવીએ છે, એકજ વ્યક્તિ દરેક સાથે અલગ સંબંધ ધરાવે છે. ઘણી વખત વિચાર આવે છે આપણે કેટલા સંબંધ ધરાવીએ છે, અને સાચુંજ કેહવાય છે કે સંબંધ જોડતા આપણે કેટલો સમય પસાર કરીએ છે પણ તોડતા એક પળનો પણ સમય નથી લાગતો. દરેક સંબંધને નિભાવવા માટે ત્યાગ અને પ્રેમની ભાવના હોયતો જ આપણે સંબંધ નિભાવી શકીએ છે,માબાપનો પોતાના બાળકો સાથે નો સંબધ, ભાઈ બહેનનો સંબધ, પતિપત્નીનો સંબંધ આવા કેટલા સંબંધ આપણે ધરાવીએ છીએ. આપણે જોઈતો દરેક સંબંધમાં બીજા માટે કંઈ કરવાની કે બીજાને આપવાની ભાવના જોઈએ તો જ સંબંધ નિભાવાય છે,જ્યાં સ્વાર્થ હોય ત્યાં કોઈ પણસંબંધ નથી ટકી શકતો . દરેક માબાપને જોઈએ તો પોતના બાળકો માટે કેટલું કરે છે, કેટલો ત્યાગ કરે છે. પણ કોઈ દિવસ એની કિંમત નથી માગતાં.એમ ને તો હમેશાં પોતાના બાળકોને દુનિયાની દરેક ખુશી આપવી હોય છે, પોતાના માટે કંઈ નહીં કરે પણ બાળકો માટે બધું જ કરે છે.પતિપત્નીમાં પણ એવું જ હોય છે, બંને એક બીજા માટે કઈ પણ કરવા તૈયાર હોય છે.કારણ આપણે જેને પ્રેમ કરતા એ એને દુઃખી નથી જોઈ શકતા. માટે હમેશાં બીજાની ખુશી વિચારી એ છે.ભાઈ બહેન માં પણ આવો જ પ્રેમ અને ત્યાગ હોય છે. આપણે હમેશાં જોયું છે કે આપણે કોઈ ડૉકટર પાસે દવા લેવા જઈએ તો જો ડૉકટર પ્રેમથી બે વાત પણ કરે તો આપણને સારું લાગે છે, એટલે ત્યાં પણ જો સારવાર પ્રેમથી કરવામાં આવેતો જલદી સારું થય જાય છે. ઘણી વખત કોઈ અજાણ્યા વ્યક્તિને પણ મળશું તો આપણને એના પ્રત્યે લાગણી થઈ જાઈ છે, કેમ ખબરછે આ આપણામાં રહેલી માણસાઈજ તો છે આને માણસાઈ નો સંબંધ જ કહેવાય. અને મિત્રતાનો સંબંધતો કંઈ અલગ જ છે,કોઈને મિત્ર જ નહી હોય એવું તમે સાંભળ્યું છે,નહી ને કારણ મિત્રો રાખવા બધાને ગમતું કોઈ છે. કોણ ક્યારે કયાં મિત્ર બની જાય છે ખબરજ નથી પડતી અને મિત્રતા માં તમે જોશો તો પ્રેમ અને ત્યાગની ભાવના જ હોઈ છે. અહીં મિત્રતાની વાત આવી તો મને એક વાત યાદ આવી ગઈ કૃષ્ણ અને સુદામા ની મિત્રતા યાદ આવી ગઈ. કેટલો પ્રેમ હતો બંને ને એક બીજા માટે આમ દરેક સંબંધ માં પ્રેમ, ત્યાગ અને સમજદારી હોઈ તો કોઈ તકલીફ જ નહી રહે. એમાં કોઈ હિસાબ નથી કરવા હોતો કે કોણે શું આપ્યું ને કોણે શું લીધું, કારણ દરેકને જીવવા માટે કોઈ ને કોઈ સંબધની જરૂર તો પડે જ છે કોઈ એકલું થોડું જીવી શકે છે? આમ પ્રેમ , ત્યાગ અને થોડી સમજદારી રાખીએ તો કોઈ પણ સંબંધ સહેલાયથી નિભાવી શકાય છે.

Thursday, November 22, 2007

દુનિયા નો નિયમ..

ઉભા રહેશો કોઈ ની માટે તમે,

તો ઉભું રહેશે કોઈ તમારી માટે.

કંઈ કરશો બીજા ના માટે ,

તો કોઈ કરશે તમારા માટે.

ચિંતા કરશો તમે કોઈ ની ,

તો ચિંતા કરશે કોઈ તમારી.

દુનિયા નો આજ તો નિયમ છે.

Friday, November 16, 2007

બનું જો....

બનું જો ફુલ હું તો આપુ સુવાસ .

બનું જો પંખી હું ઉડું ખુલ્લા આકાશ માં.

બનું જો કંટક હું તો રક્ષણ કરું ફુલો નું.

બનું જો ઝાડ હું તો આપું છાંયો .

બનું જો પત્થર હું તો નડું નહી કોઇ ને.

બનું જો નદી હું તો ખળખળ વહ્યા કરું .

Wednesday, November 14, 2007

મા- બાપ

હમણાંના રોજ આપાણે પેપર મા વાંચી એ છીએ અને સાંભળી એ પણ છીએ કે આ છોકરા એ મા બાપ ને કાઢી મૂક્યાકે આ છોકરા એ મા બાપ ને માર્યુ. આવુ કઈ ને કઈ સાંભળી એ છીએ અને જોઈએ છીએ જ્યારે પણ આ બધુ જોવ છુ કે સાંભળુ છુ ત્યારે એમ થાય કે આવુ કોઇ કેવી રીતે કરી શકે. જે મા બાપે આપણ ને મોટા કર્યા તેમ ની સાથે જ આપણે આવુ કેવી રીતે કરી શકિએ, કેટલી તકલીફો સહન કરી હશે એમણે , એ બધા ની કોઇ કિંમત જ નથી.જીવ બળે છે આવુ બધું જોઇ ને.મને એક ઘટનાં યાદ આવી ગઈ એક વૃધ્ધાશ્રમ મા જવાનુ થયુ હતુ.ત્યા એક વડીલ સાથે વાત થઈ તો તેઓ એ કહ્યુમારો દીકરો અને વહુ મુંબઈ ની બહુ મોટી હોસ્પિટ્લ મા બહુ મોટા ડૉ . છે .પણ જુઓ મારે અહિયાં માંદી હોઉ તો બીજા ડૉ . નો આશરો લેવો પડે.શું કામ ના આવા છોકરાઓ ?
આજે બધા પ્રગતિ કરે છે પણ માબાપ ની સેવા એ બધુ કોણ યાદ રાખે છે,પોતે મોટા થયા કમાતા થયા , પરણી ગયા તો શું મા બાપ ની જરૂર જ નથી પણ કોણ સમજાવે આ લોકો ને કે મા બાપ બીજા નથી માળતા. હમણા જ મારી એક બહેનપણી સાથે વાત થઇ તો જાણવા મળ્યુ એમની બાજુ મા રેહે છૅ એમ ને ત્યા છોકરા એ મા ને મારી ને કાઢી મૂક્યા આ સાંભળી ને દુ:ખ થયુ કે જે માબાપ નો પોતાના છાકરા ઓ ને મારતા જીવ કપાય જાય તે છોકરા આ જ માબાપ ને મારતા થઇ ગયા છે.કેવુ છે આ બાધુ જોઇ ને દુખ થાય છે. એવુ નથી કે બધા આવા જ હોય છે, પણ ધણા હોઇ છે એની ના પણ નહી.કયારે સમજશે મા બાપ ની કિંમત.........એટલે જ કહે છે ને મા બાપ ને ભૂલશો નહી ,અગણિત ઉપકાર છે એ વિસર શો નહી.

મન..

કેહવાય છે, 'મન નો અભિગમ બદલવાથી તમારી આખી જિંદગી જ બદલાય જશે।'આ વાક્ય વિલિયમ જેમ્સે કહ્યું છે.અને કેટલું સાચું છે, ખરેખર માણસ ની આખી જીદંગી નો આધાર એના વિચારો પર જ રહેલો છે.સફળતા, નિષ્ફળતા આ આપણુ મન જ નક્કી કરે છે. જેવુ આપણું મન એવા વિચારો અને એવું જ આપણું વર્તન. અને આપણા વિચારો જ આપણું પ્રતિબિંબ છે, તેનાથી માનવી ની ઓળખ નક્કિ થાય છે.કારણ આપણા મન ની વાત આપણો ચેહરો સ્વયં કહી આપશે. એટલે જ મન અને વિચાર એક બીજા થી જોડાયેલાં છે.જેવું મન એવા વિચારો અને જેવા વિચારો એવું મન.આપણું મન જ મજબૂત નહી હોય તો આપણા વિચારો પણ મજબુત નહી બને, અને આપણે જિંદગી મા કોઈ દિવસ આગળ નહી વધી શકીએ . તેથી જ આપણે આપણું મન મજબુત બનાવવું જરૂરી છે. આપણે અમુક લોકો ને જોઈએ તો એ લોકો મન થી જ એટલા નબળા હોય છે કે એ લોકો જિંદગી ની મઝા માણી નથી શકતા અને રોજ મરતા મરતા જીવતા હોઇ એવું લાગે છે.તમે સાંભળ્યું જ હસે ...'મન થી હોર્યા હાર છે, મનથી જીત્યા જીત' એટલે જો તમે મન થી મજબુત હશો તો જ તમે જીદંગી ની લડાઈ જીતી શકશો,નહી તો હાર નક્કિ છે.

મન મારું..

શોધું છું હું તને ઓ,

મન મારું.

ક્યાં ખોવાઈ ગયું તું,

આ ભીડ માં.

દૂર નજર કરી છતાં,

નથી દેખાતું તું.

આદુનિયાદારી નિભાવતા,

તું જ ભુલાઈ ગયુ .

રોજ રાત પડે દિવસ ઉગે,

શોધું છું તને.

ઓ મન મારું ક્યાં છે તું.

દીકરી ની વિદાય..

આપણે દીકરી ને લક્ષ્મી ગણીએ છીએ ,કોઈ ના ઘરે દીકરી આવે તો આપણે કહીએ છીએ લક્ષ્મી આવી પણ એને ખરેખર ગણતા નથી.આજે પણ ઘણા પરીવાર માં દિકરી ને ભાર જ સમજવા માં આવે છે. એને આ દુનિયા માં આવતા પેહલા જ મારી નખાય છે.આ તે કેવી દુનિયા કે એક બાજુ દિકરી ને લક્ષ્મી ગણવા માં આવે છે, તો બીજી બાજું એને ભારરૂપ માને છે.પણ હું તો માનું છું દીકરી એ ભગવાન નું એક સુંદર સર્જન છે.એટલે જ કેહવાય છે,દિકરી એટલે વ્હાલનો દરીયો અને દીકરી ની વિદાય એટલે કાળજું કંપાવી દે, જે દીકરી ને જન્મ આપ્યો જેને હસતા ,રમતા જોઈ, આંખો સામે મોટી થતા જોઈ કેમ કરી એને વિદાય અપાય.જેનું પ્રથમ વાર મુખ જોઈ જાણે લાગે પ્રતિબિંબ જ આપણું છે,પળ પળ મોટી થતા જોઈ હરખાય મન આપણું.એના બાળપણ માં દેખાય આપણું બાળપણ,કેવા મઝા ના દિવસો હોય છે બાળપણ ના, કેવી માસુમ મસ્તી, તોફાન,બધું જ કેટલું સરસ હોય છે.જ્યારે હું મારી દીકરી ને રમતા ,તોફાન કરતા જોઉં છું ત્યારે મને લાગે છે મારું જ બાળપણ મારી સામે છે. અને મને ઘણી ખુશી થાય છે.એની કાલી કાલી વાતો, હસવું, બધું જ કેવું સરસ લાગે છે. પણ જ્યારે દિકરી રડે છે ત્યારે મા બાપ નો જીવ કપાઈ જાય છે.આમ ને આમ દીકરી ઓ મોટી થઈ જાય છે,કેહવાય છે દીકરીઓ ને મોટી થતા વાર નથી લાગતી અને આ સાચું છે.ક્યારે એ સ્કૂલ જવા લાગે છે તો કયારે એનું ભણવાનું પૂરું થઈ જાય છે એ ખબર જ નથી પડતી. એમ થાય છે કે હમણા તો હજી ધોડિયા માં સુતી હતી ને ક્યારે મોટી થઈ ગઈ ખબર નહી પડી.મા બાપ ને એની સાથે ની દરેક પળ ખુશી માં વીતાવી હોય છે,કાલે એને સાસરે જવાનું છે પછી આપણી સાથે એ રહી શકશે કે નહી. મા બાપ ને હમેશાં આ ઘડી ની ચિંતા થાતી હોઇ છે. એમને ખરેખર આ ઘડી એ ખુશ થવું કે દુઃખી થવું એ પણ નક્કી નથી કરી શકતા, એમના માટે દીકરી ના લગ્ન નો પ્રસંગ ખુશી નો તો છે જ પણ વિદાય ની વેળા થી હમેશાં મન ગભરાતું હોય છે. એમના માટે એ સ્વીકારવું અઘરું છે કે હવે એમની લાડલી આ ઘર માં નહી રહે.એના વગર એમનું ઘર સૂનું સૂનું થઈ જશે,જેને હમેશાં સાદ પાડી બોલવતા હવે કોને બોલાવશે.જેના હસવું , બોલવું રાત દિવસ સંભળાતું તે હવે થી કયાં થી સંભાળશે.જેના થી જ જીવન જોડાયલું છે એ જીવન હવે જીવવું અઘરું લાગશે.આમ દરેક વાતે એની યાદ સતાવશે.મા બાપ ને એમની દીકરીને પરણાવવા નો ઉત્સાહ પણ એટલો જ હોય છે અને સાથે પોતાની વાહલી દીકરીને વળાવવા નું દુઃખ પણ હોય છે.ખરેખરે દીકરી ની વિદાય વસમી હોઈ છે..

Tuesday, November 13, 2007

આઘાત

અહીંયાં હું જયાર થી રેહવા આવી ત્યાર થી અમારા બાજુ ના ફલેટ માં એક પરીવાર ને જોતી હતી. એમને ત્યાં ચાર જણ હતા, અંકલ, આન્ટી અને એમની બે દિકરી ઓ એમ ચાર જણ હતા.ત્યારે એમનીદીકરીઓ ની ઉંમર લગભગ ૧૪ અને ૧૬ વર્ષ હતી, આજે પણ એ પરિવાર અહી જ રહે છે ફકત એમાં એક સભ્ય નથી, એ આન્ટી . શરૂઆત માં હું જોતી તો એ પરિવાર કોઈ ની સાથે ભળતું નહી,એમના ઘરે પણ કોઈ ની ખાસ અવર જવર દેખાતી નહી મને જોઈ ને નવાઈ લાગતી કે આમ કેમ,પણ આ વિશે કોઈ ને ખાસ કઈ ખબર ન હતી. હમેશાં બધા એમ જ કેહતા આ પરિવાર બધા થી અલગ જ છે,કોઈ તેહવાર હોઈ કે કંઈ પણ હોય એ પરિવાર કોઈ સાથે ભળતું જ નહી.મને બહુ નવાઈ લાગતી ,એ અંકલ એમની દિકરી ઓ ની બેનપણી ઓ ને પણ ઘરે આવવા ની રજા આપે નહી કોઈ સાથે કોઈ વ્યવહાર જ રાખે નહી , હું પણ આ બધું જોયા કરતી અને વિચારતી કે આવું કેમ કરે છે.પછી ખબર પડી કે એમની પત્ની બીમાર રહે છે થોડા થોડા દિવસે એમને હોસ્પિટલ માં દાખલ કરવા પડે છે,કોઈ ને ખબર નહતી કે એમને શું બીમારી હતી , આ સમયે પણ એમને કોઇ મળવા આવે તે એમને ગમતું નહી.અને એ લોકો ને કંઈ કહેતા પણ નહી આમ જ બધું લગભગ બે વર્ષ સુધી ચાલ્યું,પછી જ્યારે વધારે તબિયત ખરાબ થઈ ત્યારે એમને એક મહિના માટે હોસ્પિટલ માં દાખલ કર્યા,ત્યારે ખબર પડી કે એમને "કેન્સર" ની બીમારી છે.આ સાંભળી ને બહું આંચકો લાગ્યો એમની ઉંમર કંઈ વધારે ન હતી, મને તો જાત જાત ના વિચારો આવવા લાગ્યા કે હવે શું થશે ?પછી જાણવા મળ્યું કે એ અંકલે એમની પત્ની ને કહ્યુ જ ન હતું કે એમને કઈ છે અને એટલે જ એ કોઈ ને મળવા દેતા નહી ,એમને બીક હતી કોઈ એમને કહી દેશે તો કારણ માણસ બીમારી નું નામ સાંભળી ને જ અડધો મરવા પેહલા જ મરી જાય છે તેથી એ આવું કરતા.મને થયું એમને કેટલી ચિંતા છે એમની પત્ની ની પણ એમને ખબર પડી જ ગઈ કે એમને કેન્સર છે, એમની દિકરી ઓ નાની હતી એટલે એની જ રાતદિવસ એમને ચિંતા થતી રહેતી કે મારા ગયા પછી એમનું કોણ આ જ ચિંતા એમને છેલ્લે સુધી રહી.દરેક ને પોતાના બાળકો ની, પરિવાર ની ચિંતા તો થાઈ એ સ્વાભાવિક છે એમા એક સ્ત્રી ની તો જિંદગીજ એનું પરિવાર હોય છે મને તો આ બધું સાંભળી ને ,જોઈ ને આંખ માં પાણી આવી જતું કે હવે શું થશે ભલે એ આપણા કોઈ સ્વજન નથી પણ આપણી સામે રહેતા હોઈ ,જેને રોજ જોઈએ એના પ્રત્યે પણ લાગણી થી બંધાઈ જવાય છે .હવે ડૉકટરે કહી દિધું હતું કે અઠવાડિયા થી વધારે સમય નહી કાઢે આ સાંભળી ને પણ અંકલ અને એમની દિકરી ઓ આન્ટી સામે હમેશાં હસતા જ રેહતા જાણે કઈ થયું નથી, કેટલું અઘરું છે ને આ રીતે જીવવું ,એક દિવસ સવાર માં જ સમાચાર મળયા કે આન્ટી હવે નથી રહ્યા.હું તો આ બધું જોઇ જ નહી શકી મારા આંસું જ રોકાતા ન હતા, અંકલ ,દિકરી ઓ તો જાણે સૂનમૂન થઈ ગયા બધા ને ખબર તો હતી કે એક દિવસ આ થવાનું જ છે પણ એ વાત નો સ્વીકાર કરી શકતા નથી. મને આ બધું જોઈ ને બહું આઘાત લાગ્યો કે ભગવાને આમ કેમ કર્યું એને આ માસુમ બાળકી ઓ નો પણ વિચાર નહી આવ્યો હોય આ કેવો ન્યાય એનો સમજાતુ નથી આવું કેમ કર્યુ હશે,આ દિકરી ઓ ને માં વગર ની કરી દિધી શું વાંક હતો .કારણ માં તો એક ગુરુ, બેનપણી જે ગણો તે બધું માં છે માં ની ખોટ કોઈ પુરી કરી શકે નહી.આજે પણ જ્યારે આ પરિવાર ને જોઉં છું ત્યારે મને બહું દુઃખ થાઈ છે પણ આપણે શું કરી શકીએ,ભગવાન ની મરજી આગળ કોઈ નું કંઈ ચાલતું નથી.કાયમ હું ભગવાન ને એ જ પ્રાર્થના કરુ કે કોઈ બાળકો પાસે થી એમના માં બાપ નો આશરો નહી લઈ લેતા.

Friday, November 2, 2007

મારું ઘર..

સ્વપન મારું એક એવા ઘર નું,

જે હશે મારા પ્રેમ ની ઈમારત

ઈંટ પેહલી મુકિશ મારા પ્રીત ની,

લાગણીથીકરીશ એનું ચણતર.

એ ઘર મારું હશે...

જ્યાં સ્વાગત કરતી મધુમાલતી ,

મધુંર મુસ્કુરતાંદરવાજા ઘર ના ,

સ્વપન મારું એક એવા ઘર નું,

જ્યાં હશે અવાજ મારી ધડકન નો.

થશે રણકાર મારી પાયલ નો,

એ ઘર મારું હશે...

જ્યાં રોજ મળશે સુર મીલન ના,

સાથે મળી રચીશું પ્રેમગીત નું સંગીત.

સ્વપન મારું એક એવા ઘર નું,

જયાં હશે હિંડોળા મારા હેત ના.

ઝુલીશું રોજ અમે સાજન સજની,

એ ઘર મારું હશે.....

કેહવું છે..

કેહવું છે ઘણું છંતા,

કહી શકતી નથી.

મન ના આ શબ્દો ને,

વાચા આપી શકતી નથી.

આ દુઃખ હવે ,

સહી શકતી નથી.

મન ના આસું મન માં,

હવે પી શકતી થી.

કેવી રીતે કહું અને શું,

કહું સમજી શકતી નથી.

Tuesday, October 30, 2007

સોદો...

સોદો કર્યો છે જીદંગી નો,

જીવવું તો પડશે જ.

કઠપુતળી બની છું ન,

માન્યે નમવું તો પડશે જ.

જગત છે એક રંગભૂમિ,

નાટક ખેલવું તો પડશે જ.

તારા બન્યા છે જગત માં,

ચમકી પળભર ખરવુ તો પડશે જ.

જન્મ લીધો છે આ ભૂમિ પર,

તો જીવન જીવવું તો પડશે જ.

Tuesday, October 16, 2007

સાથે સાથે...

જીદંગી માં ચાલ્યા હમેશાં સાથે સાથે,

દરેક પળ જીવ્યા સાથે સાથે.

ખબર નહ ક્યારે અલગ થવાનો ,

સમય પણ આવી ગયો.

આટલા વષૉ સાથે રહયા છતાં,

લાગે છે ઘંણો થોડો સમય.

હમેશાં મન ડરતુ હતુ તાર જુદાઈ થી,

નથી સહી શકતી તારી જુદાઈ હું.

છતાં હસી ને જીવવું પડે છે,

હમેશાં મન તો ડરતું હોય છે.

તારી યાદ માં,

પળે પળે સ્મરણ તારુ થઈ આવે છે,

અને રડી પડે છે આંખો મારી.

ભલે દુર થઈ તું મારા થી પણ,

દુર ન કરીશ મને તારા થી.

અંતર ભલે વધ્યુ આપણી વચ્ચે નું,

મન માં અંતર ન આવવા દઈશ.

છે કેટલી લાગણી મને તારા માટે,

છતાં કહી શકતી નથી.

ભુલ થઈ હોઇ મારા થી કોઈ,

માફ કરી દેજે મને.

મન માં ન લાવીશ કોઈ વાત,

હમેશા તારા માટે એ જ છું,

જે પેહલા હતી.

ખુશ રહે તું હમેશાં બસ ,

ઈચ્છા છે આ એક જ.

જોઇ તારી આંખો માં આંસુ,

રડી પડે છે આંખો મારી.

એક જ ઈચ્છા છે મારી,

તું એજ અમી રેહજે.

ભુલી ન જઇશ કોઇ દિવસ મને.

Monday, October 15, 2007

એ દિવસ..

એ દિવસ ,એ સમય ,એ પલ,
યાદ છે આજે પણ મને.
કેટલા પ્યારા હતા એ દિવસો,
હતો મન મા કેટલો ઉત્સાહ.
હતા મન માં જાત જાત ના તંરગો,
બધુ જ કેટલું સરસ હતુ.
એક એક દિવસ હતો કેટલો મઝા નો,
પણ સમય ને તો જાણે પાંખો આવી હતી,
તેમ ઉડી ને જાતો હતો.
ઇચ્છા તો હતી એને બસ પકડી રાખું,
પણ એ તો એક સપના સમાન છે,
સમય ને તો કોઇ પકડી શક્યુ છે?

Friday, October 12, 2007

યાદ

આવે છે યાદ તારી અને,
આવે છે આંખો મા આંસુ.
નથી ભુલી શકતી હું તને ,
ભુલવુ મારા માટે સેહલુ નથી.
તને અચાનક આમ શુ થયુ ,
કે તને સાથ નહી ગમ્યો મારો ?
શીખવુ પડશે મારે તારી પાસે થી ,
ભુલાવી દેવુ કોઇ ને કેવી રીતે.
તુ યાદ રાખે કે નહિ રાખે ,
તુ તો રેહશે મારા સ્મુતિ પથ મા હમેશા.
રેહશે તારી યાદો હમેશા મારા અંતર મા.....