Wednesday, November 14, 2007

મા- બાપ

હમણાંના રોજ આપાણે પેપર મા વાંચી એ છીએ અને સાંભળી એ પણ છીએ કે આ છોકરા એ મા બાપ ને કાઢી મૂક્યાકે આ છોકરા એ મા બાપ ને માર્યુ. આવુ કઈ ને કઈ સાંભળી એ છીએ અને જોઈએ છીએ જ્યારે પણ આ બધુ જોવ છુ કે સાંભળુ છુ ત્યારે એમ થાય કે આવુ કોઇ કેવી રીતે કરી શકે. જે મા બાપે આપણ ને મોટા કર્યા તેમ ની સાથે જ આપણે આવુ કેવી રીતે કરી શકિએ, કેટલી તકલીફો સહન કરી હશે એમણે , એ બધા ની કોઇ કિંમત જ નથી.જીવ બળે છે આવુ બધું જોઇ ને.મને એક ઘટનાં યાદ આવી ગઈ એક વૃધ્ધાશ્રમ મા જવાનુ થયુ હતુ.ત્યા એક વડીલ સાથે વાત થઈ તો તેઓ એ કહ્યુમારો દીકરો અને વહુ મુંબઈ ની બહુ મોટી હોસ્પિટ્લ મા બહુ મોટા ડૉ . છે .પણ જુઓ મારે અહિયાં માંદી હોઉ તો બીજા ડૉ . નો આશરો લેવો પડે.શું કામ ના આવા છોકરાઓ ?
આજે બધા પ્રગતિ કરે છે પણ માબાપ ની સેવા એ બધુ કોણ યાદ રાખે છે,પોતે મોટા થયા કમાતા થયા , પરણી ગયા તો શું મા બાપ ની જરૂર જ નથી પણ કોણ સમજાવે આ લોકો ને કે મા બાપ બીજા નથી માળતા. હમણા જ મારી એક બહેનપણી સાથે વાત થઇ તો જાણવા મળ્યુ એમની બાજુ મા રેહે છૅ એમ ને ત્યા છોકરા એ મા ને મારી ને કાઢી મૂક્યા આ સાંભળી ને દુ:ખ થયુ કે જે માબાપ નો પોતાના છાકરા ઓ ને મારતા જીવ કપાય જાય તે છોકરા આ જ માબાપ ને મારતા થઇ ગયા છે.કેવુ છે આ બાધુ જોઇ ને દુખ થાય છે. એવુ નથી કે બધા આવા જ હોય છે, પણ ધણા હોઇ છે એની ના પણ નહી.કયારે સમજશે મા બાપ ની કિંમત.........એટલે જ કહે છે ને મા બાપ ને ભૂલશો નહી ,અગણિત ઉપકાર છે એ વિસર શો નહી.

1 comment:

Ketan Shah said...

બહુ જ સાચી વાત લખી છે, આજના સમયમા આવા લેખ ની ખુબ જરૂર છે.