Wednesday, November 14, 2007

મન..

કેહવાય છે, 'મન નો અભિગમ બદલવાથી તમારી આખી જિંદગી જ બદલાય જશે।'આ વાક્ય વિલિયમ જેમ્સે કહ્યું છે.અને કેટલું સાચું છે, ખરેખર માણસ ની આખી જીદંગી નો આધાર એના વિચારો પર જ રહેલો છે.સફળતા, નિષ્ફળતા આ આપણુ મન જ નક્કી કરે છે. જેવુ આપણું મન એવા વિચારો અને એવું જ આપણું વર્તન. અને આપણા વિચારો જ આપણું પ્રતિબિંબ છે, તેનાથી માનવી ની ઓળખ નક્કિ થાય છે.કારણ આપણા મન ની વાત આપણો ચેહરો સ્વયં કહી આપશે. એટલે જ મન અને વિચાર એક બીજા થી જોડાયેલાં છે.જેવું મન એવા વિચારો અને જેવા વિચારો એવું મન.આપણું મન જ મજબૂત નહી હોય તો આપણા વિચારો પણ મજબુત નહી બને, અને આપણે જિંદગી મા કોઈ દિવસ આગળ નહી વધી શકીએ . તેથી જ આપણે આપણું મન મજબુત બનાવવું જરૂરી છે. આપણે અમુક લોકો ને જોઈએ તો એ લોકો મન થી જ એટલા નબળા હોય છે કે એ લોકો જિંદગી ની મઝા માણી નથી શકતા અને રોજ મરતા મરતા જીવતા હોઇ એવું લાગે છે.તમે સાંભળ્યું જ હસે ...'મન થી હોર્યા હાર છે, મનથી જીત્યા જીત' એટલે જો તમે મન થી મજબુત હશો તો જ તમે જીદંગી ની લડાઈ જીતી શકશો,નહી તો હાર નક્કિ છે.

No comments: